પાણી નો ચમત્કારિક પ્રયોગ

 



             પાણી આપણા માટે અમૃત સમાન હોય છે. એ તો બધા જ લોકો જાણે પણ છે. આ સંદર્ભમાં એક નિવેદન, જળ એજ જીવન છે. એ જાણીતું પણ છે અને સત્ય પણ. જો કે માનવ શરીરનો ૭૧% ભાગ પાણીથી જ નિર્મિત હોય છે. શરીરમાં તેનું સ્તર સંતુલિત ના હોય તો ઘણી પ્રકારની બિમારીઓ થવા લાગે છે. આયુર્વેદમાં પાણી પીવાના સંબંધમાં અમુક ખાસ નિયમ અને મહત્વ જણાવવામાં આવ્યા છે. તેના અનુસાર જો આપણે આપણા દિવસની શરૂઆત સવારે ખાલી પેટે પાણી પી ને કરીએ છીએ તો તે અત્યંત હિતકારી સાબિત બતાવવામાં આવ્યું છે. તેનાથી એક નહીં પરંતુ અનેક લાભ થાય છે. 

           વહેલી સવારે ઉઠીને મોઢું ધોયા વગર કે બ્રશ કર્યા વગર ૧.૨૬૦ કિ .ગ્રામ એટલે લગભગ ૪ મોટા ગ્લાસ પાણી એક સાથે પી જવું. આ પ્રયોગ માં પાણી ઠંડુ કે ગરમ નથી પીવાનું. નોર્મલ માટલાનું પાણી પીવાનું છે.તે પછી ૪૦ મીનીટ સુધી કાંઈ પણ ખાવું પીવુ નહીં.પાણી  પીધા પછી બ્રશ કરી મોં ધોઈ  શકાય. આ પ્રયોગ પછી  સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી બે  કલાક બાદ પાણી પીવું.અને રાત્રે સૂતા પહેલાં કાંઈ પણ ખાવું નહીં. 

       બીમારી અથવા ખૂબ જ નાજુક પ્રકૃતિ ના માણસો એક સાથે ચાર ગ્લાસ ન પી શકે તો તેઓ  પહેલા એક અથવા બે ગ્લાસ થી શરુ કરે અને પછી ધીરે ધીરે એક એક  ગ્લાસ વધારી ૪ ગ્લાસ નિયમિત પીવાનું ચાલુ રાખી શકે.

       ખરી વાત તો એ છે કે  બીમાર  અને તંદુરસ્ત  બધાએ આ પ્રયોગ અજમાવવા જેવો છે.બીમાર ને એટલા માટે  કે તેથી તેને તંદુરસ્તી મળશે અને તંદુરસ્ત માણસ આ પ્રયોગ કરશે તો તે કદી બીમાર નહી પડે.અનુભવ પરથી જણાયું છે કે આ પ્રયોગ થી જુદા જુદા  રોગો અમુક સમય દરમિયાન કાબુમાં આવી શકે છે.


 હાયપર ટેન્શન ( હાઈ બી.પી) લોહીનું દબાણ-૧ માસ

 ડાયાબિટીસ (મીઠો પેશાબ) -૧ માસ

 કેન્સર - ૬ માસ

 ગેસ  પ્રોબ્લેમ - (૧૦ દિવસ)

 કબજિયાત  - ( ૧૦ દિવસ)

 ટી.બી - ૩ માસ 

          જેઓ વાત રોગો સંધિવાની બીમારીઓથી પીડાતા હોય તેઓએ એક અઠવાડિયા સુધી આ પ્રયોગ દિવસમાં ૩ વખત કરવો જોઈએ. અને તે પછી દિવસ માં એક વખત આ પ્રયોગ કરવો.

            આ પાણી નો પ્રયોગ તદ્દન સરળ અને સાદો છે.તેમાં એક પણ પૈસા નો ખર્ચ નથી અને આપણા દેશના ગરીબ માણસો માટે વગર પૈસા અને વગર દવાએ તંદુરસ્તી મેળવવા આ એક ચમત્કારિક પઘ્ધતિ છે.


            દરેક ભાઈઓ અને બહેનોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે પાણી પ્રયોગ નો બને તેટલો વધુ પ્રચાર કરે અને રોગીઓના રોગો દુર કરવાની કોશિશ માં સહાયરૂપ થવા પોતાનાથી બનતું બધું જ કરી છૂટે.

               જેઓ શરૂઆત મા ૪ ગ્લાસ પાણી એકસાથે ન પી શકે  તેઓને ૧ અથવા ૨ ગ્લાસ થી શરૂઆત કરી ધીરે  ધીરે ૪ ગ્લાસ પર પહોંચવું જોઈએ. ૪ ગ્લાસ પાણી પીવાથી કોઈ પણ જાત ની આડઅસર થતી નથી.ફક્ત શરૂઆત નાં ત્રણેક દિવસ પાણી પીવાયા  પછી થોડીવાર માં બે થી ત્રણ વખત પેશાબ આવશે પણ ૩ - ૪ દિવસ પછી પેશાબ નિયમિત  થઈ જશે. આ પાણી નો પ્રયોગ તદ્દન નિર્દોષ છે.



               તો ભાઈઓ  અને બહેનો તંદુરસ્ત થવા અને હંમેશા તંદુરસ્ત રહેવા આજથી જ આ  પાણી નો પ્રયોગ શરૂ કરી બીમારીઓ ને ભગાવો...


          અમારી પોસ્ટ ગમે તો અમારા પેજ ને ફોલો કરજો.તમારા મિત્રો અને પરિવાર માં શેર કરજો.લાઇક 👍કરજો..

                આભાર 


Comments